new

બ્રિટન નથી ભણવા જવું ઇન્ડિયન સ્ટુડન્ટ્સને, થયો જબરદસ્ત ઘટાડો

એક સમયે બ્રિટન વિદેશ ભણવા જવા માગતા ભારતીય સ્ટુડન્ટ્સમાં હોટ ફેવરિટ હતું. જોકે હાલના આંકડા દર્શાવે છે કે પરિસ્થિતિમાં જબરદસ્ત ફેરફાર આવી ગયો છે અને બ્રિટન જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. ભારતીય વિદ્યાર્થીઓમાં ઘટાડો થવા માટે ઘણા કારણો જવાબદાર દેખાઈ રહ્યા છે. હાલમાં તો આના માટે બ્રિટનની કઠોર નીતિને પણ જવાબદાર ગણવામાં આવે છે. 
હાલમાં ઓફિસ ઓફ નેશનલ સ્ટેયટીસ્ટીવક (ઓએનએસ) દ્વારા જારી કરવામાં આવેલા નવેસરના આંકડામાં જણાવવામાં આવ્યું  છે કે, પાકિસ્તા‍ની વિદ્યાર્થીઓને જારી કરવામાં આવેલા અભ્યારસ વિઝા ડિસેમ્બાર ૨૦૧૩માં ૯૫ ટકા સુધી ઘટી ગયા છે. જ્યારે ભારતીયોમાં પણ ઉલ્લેખનીય રીતે ઘટાડો થયો છે. આનો મતલબ એ થયો કે, ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા એક વર્ષના ગાળામાં ૧૭૨૭૧થી ધટીને ૧૩૬૦૮ થઇ ગઈ છે.

આવી જ રીતે પાકિસ્તાનના વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦૯૮૪થી ઘટીને ૪૯૪૭ થઇ ગઈ છે. જોકે આંકડાઓના આધારે કહી શકાય કે ચીનના વિદ્યાર્થીઓમાં નવ ટકાનો તેમજ બ્રાઝિલીયન વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૪૭ ટકાનો વધારો થયો છે.

Post a Comment

0 Comments